1) આવશ્યક છે ખનીજ તત્વો
👉 પોટેશિયમ કેલ્શિયમ, પોટેશિયમ ક્લોરાઈડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સલ્ફર સહિત આપણા શરીર માટે સૌથી આવશ્યક તત્વમાંથી એક છે. સામાન્ય રીતે વયસ્કને રોજ 47000 મિલીગ્રામ પોટેશિયમની જરુર હોય છે. પોટેશિયમ રોજના ભોજનમાંથી જ મળી રહે છે. પોટેશિયમ કોશિકાઓ તેમજ માંસપેશીઓ માટે ઉત્તમ હોય છે. જેનાથી તેમને પોષણ મળી રહે છે.
2) નકારાત્મક પ્રભાવ
2) નકારાત્મક પ્રભાવ
👉પોટેશિયમ હ્રદય, મગજ અને માંસપેશીઓની કાર્યપ્રણાલી જાળવી રાખવામાં મદદ કરે છે. શરીરમાં પોટેશિયમની ઉણપથી હાઈપોકેલીમિયા થવાનો ભય રહે છે. આ સાથે જ માનસીક તણાવ પણ ઉત્પન્ન થઈ શકે છે. આજે આપણે પોટેશિયમની ઉણપથી મગજ પર થતાં નુકસાન વિશે વાત કરીશું. પોટેશિયમની ઉણપ હોવાના કારણે માનસિક રીતે પણ નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.
3) વારંવાર થાકી જવું
👉 શરીરમાં પોટેશિયમની ઉણપનું એક મોટું લક્ષણ થાક લાગવો હોય છે. જો વધારે કામના કારણે થાકી જતાં હોવ તો વાત અલગ છે પરંતુ જો કામ કર્યાં વગર થાકી જાઓ છો તો તેનું મુખ્ય કારણ પોટેશિયમની ઉણપ હોય શકે છે.
શરીરમાં રહેલી દરેક કોશિકાઓને કામ કરવા માટે પોટેશિયમ અને ખનીજ લવણોની એક નિશ્ચિત માત્રાની જરુર હોય છે. જે પૂરાં ન થવાના કારણે શરીરમાં નબળાઈ લાગે છે.
4) તણાવ અથવા ડિપ્રેશન
👉 પોટેશિયમ એક એવું ખનિજ છે. જે શરીરની ગતિવિધિઓના સંકેતો મગજ સુધી પહોંચાડે છે. શરીરમાં પોટેશિયમની ઉણપ હોવાની સ્થિતિમાં આ સંકેત મગજ સુધી પહોંચી શકતાં નથી અને તણાવની સમસ્યા થવા લાગે છે. આ તણાવની સીધી અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. 1992માં એક રિસર્ચમાં એ વાત સામે આવી હતી કે ડિપ્રેશનના દર્દીઓમાં પોટેશિયમનું સ્તર સામાન્ય કરતાં ઓછું હતું
5) વારંવાર મૂડ બદલવો
👉 પોટેશિયમની ઉણપથી હાઈ બ્લડ પ્રેશર અને હાઈપર ટેન્શનનું જોખમ વધી શકે છે. હકીકતમાં પોટેશિયમ હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે શરીરમાં સોડિયમની માત્રાને જાળવી રાખે છે. જ્યારે શરીરમાં તેની ખામી સર્જાય છે તો મગજની કામ કરવાની ક્ષમતાને પણ અસર પહોંચે છે અને વિચારોમાં વિચિત્ર પ્રકારના પરિવર્તન આવવા લાગે છે.
6) પોટેશિયમની ઉણપ દૂર કરવાના ઉપાય
👉 જો પોટેશિયમની ઉણપ લાંબા સમય સુધી રહે તો ગંભીર સમસ્યા થઈ શકે છે. આ કારણે કબજીયાત, ડિહાઈડ્રેશન, ઉલ્ટી અથવા તણાવગ્રસ્ત થઈ શકે છે. તેની ઉણપ ઓછી કરવા માટે દવાઓ લઈ શકાય છે પરંતુ કુદરતી પદાર્થો જેવા કે ટામેટાં, કેળા, બટાટાં, બીન્સ, લીલી શાકભાજી, દહીં, માછલી, મશરુમ વગેરે ખાઈ શકાય છે. જો તમારા શરીરમાં પણ ઉપરોક્ત લક્ષણો જોવા મળે તો પોટેશિયમની ઉણપ હોય શકે છે.